દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયંસ ઈંડસ્ટ્રીઝના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ફરી એક વાર દરિયાદિલી બતાવી છે.
તેમણે ઈંસ્ટીટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી મુંબઈને 151 કરોડ રુપિયાનું કોઈ પણ શરત વિના દાન કર્યું છે.
અહીં ઉલ્લેખનિય છે કે, મુકેશ અંબાણીએ અહીંથી 1970ના દાયકામાં સ્નાતક કર્યું હતું.
મુકેશ અંબાણીએ પ્રોફેસર એમએમ શર્માની જીવની ડિવાઈન સાયંટિસ્ટના પ્રકાશન માટે આયોજીત કાર્યક્રમમાં ઈસીટીમાં ત્રણ કલાકથી પણ વધારે સમય વિતાવ્યો.
મુકેશ અંબાણીએ આ દરમ્યાન કહ્યું કે, 151 કરોડનું દાન તેમના માટે ગુરુ દક્ષિણા છે, જે તેમણે પ્રોફેસર શર્માના નિર્દેશાનુસાર આપ્યું છે.
પોતાના શાળાના દિવસોને યાદ કરતાં, અંબાણીએ જણાવ્યું કે, UDCT ખાતે પ્રોફેસર શર્મા દ્વારા આપવામાં આવેલા પહેલા વ્યાખ્યાનથી તેમને કેવી રીતે પ્રેરણા મળી અને પ્રોફેસર શર્માએ પછીથી ભારતના આર્થિક સુધારાના શિલ્પી તરીકે કેવી રીતે તેમની ભૂમિકા ભજવી. પ્રોફેસર શર્માએ નીતિ નિર્માતાઓને સમજાવ્યું કે ભારતના વિકાસનો એકમાત્ર રસ્તો ભારતીય ઉદ્યોગને લાઇસન્સ-પરમિટ-રાજમાંથી મુક્ત કરવાનો છે.
ભારતીય રસાયણ ઉદ્યોગના ઉદય માટે પ્રોફેસર શર્માના પ્રયાસોને શ્રેય આપતા, અંબાણીએ તેમના ભાષણમાં તેમને ‘રાષ્ટ્ર ગુરુ - ભારતના ગુરુ’ કહ્યા. ગુરુ દક્ષિણાની વાત કરીએ તો, પ્રોફેસર શર્માના નિર્દેશન મુજબ, અંબાણીએ ICT ને 151 કરોડ રૂપિયા બિનશરતી દાન આપ્યું.
જ્યારે તેઓ અમને કંઈક કહે છે, ત્યારે અમે ફક્ત સાંભળીએ છીએ. અમે વિચારતા નથી.
તેમણે મને કહ્યું, ‘મુકેશ, તમારે ICT માટે કંઈક મોટું કરવું પડશે અને હું પ્રોફેસર શર્મા માટે આ જાહેરાત કરતા ખૂબ ખુશ છું,