બજાજ ફિનસર્વના પ્રમોટરો બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ તથા જમનાલાલ સન્સ કંપનીમાં તેમનો 1.58 ટકા હિસ્સો રૂ.4750 કરોડમાં વેચશે તેમ સૂત્રોએ કહ્યું છે.
બ્લોક ડીલ દ્વારા તેઓ આ હિસ્સો વેચશે.
પ્રમોટરો બજાજ ફિનસર્વના 2.53 કરોડ શેર સેકન્ડરી માર્કેટમાં વેચશે. તેઓ શેરદીઠ રૂ.1880ના ભાવથી આ શેર વેચશે તેમ સૂત્રોએ કહ્યું હતું, જે તેના બંધ ભાવ રૂ.1943.5 કરતા 3.3 ટકા ડિસ્કાઉન્ટ દર્શાવે છે.
પ્રમોટરોએ વધુ રૂ.1080 કરોડના શેર વેચવાનો વિકલ્પ પણ રાખ્યો છે.
જો તે પણ પૂર્ણ થશે તો આ બ્લોક ડીલની કુલ સાઈઝ રૂ.5830 કરોડની થશે. બજાજ ફિનસર્વમાં પ્રમોટર ગ્રુપ હાલમાં 60.64 ટકા હિસ્સો ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં કંપનીએ એલિયાન્ઝ એસાઈ સાથે બન્નેના સંયુક્ત સાહસ બજાજ, એલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ કંપની અને બજાજ એલિયાન્ઝ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં પ્રત્યેકમાં 26 ટકા હિસ્સો ખરીદવા માટે શેર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા હતા. આ ડીલ રૂ.24,180 કરોડનું હતું.
જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વનો નેટ પ્રોફિટ 14 ટકા વધીનું રૂ.2417 કરોડ થયો હતો, જે ગત વર્ષે આ ગાળામાં રૂ.2119 કરોડ હતો. આવક વધીને રૂ.35,596 કરોડ થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં રૂ.32,042 કરોડ હતી.