ટૂંક સમયમાં તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરવા માટે ફરજિયાત ઈ-આધાર ઓથેન્ટિકેશન શરૂ કરવામાં આવશે.
રેલવે મંત્રી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના ટવીટર (હવે X) એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, ભારતીય રેલવે ટૂંક સમયમાં તત્કાલ ટિકિટ બુક કરવા માટે ઈ-આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ શરૂ કરશે.
આ સિસ્ટમ દ્વારા, રેલવેના વાસ્તવિક વપરાશકર્તાઓને જરૂર પડ્યે કન્ફર્મ ટિકિટ મેળવવામાં મદદ મળશે.
એવી અપેક્ષા છે કે આ મહિનાના અંત સુધીમાં આ સિસ્ટમ શરૂ થઈ શકે છે.
IRCTC વેબસાઇટમાં હાલમાં 13 કરોડથી વધુ સક્રિય વપરાશકર્તાઓ છે, પરંતુ નોંધનીય વાત એ છે કે આ વપરાશકર્તાઓમાંથી ફક્ત 10% વપરાશકર્તાઓ આધાર ચકાસાયેલ છે.
આ સંજોગોમાં ભારતીય રેલ્વે નિયમોને વધુ કડક બનાવવા જઈ રહ્યું છે.
જેથી તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને મજબૂત બનાવી શકાય અને ફક્ત આધાર ચકાસાયેલ IRCTC એકાઉન્ટને જ ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગ કરવાની મંજૂરી આપવામાં આવે.
આ સિસ્ટમ શરૂ થયા પછી તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર આધારિત OTP પ્રમાણીકરણ જરૂરી બનશે.
અહેવાલો અનુસાર તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન થતી અનિયમિતતાઓને નિયંત્રિત કરવા માટે આધાર ચકાસણી પછી કાઉન્ટર આધારિત તત્કાલ ટિકિટ પણ બુક કરવામાં આવશે.
IRCTCએ છેલ્લા એક વર્ષમાં 3.5 કરોડ નકલી યુઝર આઈડી બ્લોક કર્યા છે, જેના કારણે તેના પ્લેટફોર્મ પર સિસ્ટમની ભીડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
રેલ્વે ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ન્યાયીતા લાવવાની દિશામાં એક મોટા પગલા તરીકે, IRCTCએ AI -આધારિત અદ્યતન તકનીકો દ્વારા ઉકેલો શોધી કાઢ્યા છે જેથી અનધિકૃત ટિકિટિંગને રોકી શકાય.
જેમ કે ડિસ્પોઝેબલ (ટૂંકા ગાળાના) ઈમેલ એડ્રેસથી બનાવેલા આવા યુઝર આઈડી શોધી અને નિષ્ક્રિય કરી શકાય અને બધા મુસાફરો માટે સમાન ઍક્સેસ સુનિશ્ચિત કરી શકાય.