70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો માટે મહત્ત્વના સમાચાર છે.
જેમાં હવે તેમને દર વર્ષે રૂ. 5 લાખ સુધીનું મફત આરોગ્ય વીમા કવર મળશે.
તેમાં કોઈપણ આવક કે યોજનાની પાત્રતાની શરતો લાગુ નથી.
આ લાભ આયુષ્માન વય વંદના કાર્ડ હેઠળ મળશે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર 2024 માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ કાર્ડ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું વિસ્તરણ છે અને ખાસ કરીને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠો માટે છે.
તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં લગભગ 2000 તબીબી સારવારને આવરી લેવામાં આવે છે, અને તેમાં કોઈ વેઈટિંગ પિરિયડ નથી. પહેલા દિવસથી જ વરિષ્ઠના સ્વાસ્થ્યની દરેક સ્થિતિને આવરી લેવામાં આવે છે.
વય વંદના કાર્ડ શું છે?
આ કાર્ડ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકોને દર વર્ષે 5 લાખ રૂપિયાનું આરોગ્ય વીમા કવર પૂરું પાડે છે.
જો કોઈ વ્યક્તિ પહેલાથી જ આયુષ્માન ભારત પીએમ-જેએવાય યોજનાનો લાભ લઈ રહ્યો છે, તો તેને 5 લાખ રૂપિયાનું વધારાનું ટોપ-અપ મળશે.
જેમની પાસે પહેલાથી જ સરકારી કે ખાનગી આરોગ્ય યોજના છે તેમાંથી એક પસંદ કરવાનું રહેશે.
ખાનગી કંપની પાસેથી આરોગ્ય વીમા મેળવનારાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
વય વંદના આયુષ્માન કાર્ડ મેળવવાની રીત
આવરી લેવામાં આવશે આ સારવાર
આ કાર્ડ દ્વારા, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી સહિત 27 તબીબી વિશેષતાઓ હેઠળ સારવાર મેળવી શકાય છે.
હેમોડાયલિસિસ/પેરીટોનિયલ ડાયાલિસિસ, એક્યુટ ઇસ્કેમિક સ્ટ્રોક, ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, ટોટલ ની રિપ્લેસમેન્ટ, પીટીસીએ, સિંગલ/ડબલ ચેમ્બર પરમેનન્ટ પેસમેકર ઇમ્પ્લાન્ટેશન જેવી કેટલીક ખાસ સારવારોને પણ આવરી લેવામાં આવે છે.
લાભ આ સ્થળે મેળવી શકાશે
આયુષ્માન વાયા વંદના કાર્ડના લાભાર્થીઓ દેશભરની 30,072 થી વધુ હોસ્પિટલોમાં આ યોજનાનો લાભ મેળવી શકે છે, જેમાંથી 13,352 ખાનગી હોસ્પિટલો છે.
અને સૌથી મહત્વની વાત એ છે કે આ બધી સારવાર રોકડ રહિત હશે. જો તમારી અથવા તમારા પરિવારમાં કોઈની ઉંમર 70 વર્ષ કે તેથી વધુ છે, તો ચોક્કસપણે આ આરોગ્ય કવરનો લાભ લો.