ચારધામની યાત્રામાં જ્યારે કેદારનાથની યાત્રા કરવાની હોય ત્યારે પણ લોકો હેલિકોપ્ટર અને ટટ્ટુની સવારી શોધતા હોય છે, જ્યારે કર્ણાટકના ગુલબર્ગાથી 70 વર્ષના બે વયોવૃદ્ધ ભક્તો ચાલીને કેદારનાથની યાત્રા કરવા પહોંચ્યા છે.
આ ભક્તો ખભા પર ખૂબ જ ઓછો સામાન અને રેઇનકોટ પહેરીને કેદારનાથ મંદિરની બહાર પહોંચ્યા ત્યારે એક યુટ્યુબરે તેમની સાથે વાતચીત કરી હતી.
એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
આ બન્ને વડીલ ભક્તો વિડિયોમાં કહે છે, ‘અમે 3 માર્ચે કર્ણાટકના ગુલબર્ગાથી પદયાત્રા શરૂ કરી હતી.
એ પછી રોજના 30થી 35 કિલોમીટર ચાલીને અમે 60 દિવસમાં કેદારનાથ પહોંચ્યા હતા.
અમને હતું કે 70-75 દિવસ લાગી જશે, પણ અમારી યાત્રા વહેલી થઈ ગઈ.’ ઇન્સ્ટાગ્રામ શિવા રાજસ્થાનીએ તેમનો વિડિયો પોસ્ટ કર્યો છે.
બુઝુર્ગોએ સિલ્વર અને રેડ કલરનો રેઇનકોટ પહેર્યો છે અને હાથમાં લાકડી છે. પીઠ પર બહુ જ ઓછો સામાન છે.
તેમની ઉંમર જોતાં આટલે લાંબેથી ચાલીને આવવું એ તેમના માટે જબરી તપસ્યા જ કહેવાય એવું અનેક લોકોએ કમેન્ટમાં કહ્યું છે.