ભારતીય રિઝર્વ બેંક ટુંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે.
બેંક તરફથી આ અંગે માહિતી આપવામાં આવી. જેમાં કહેવામાં આવ્યું કે, નવી નોટ પર ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે.
આ નોટોની ડિઝાઈન મહાત્મા ગાંધી ન્યૂ સીરિઝની 20 રૂપિયાની નોટ જેવી જ હશે.
આ સાથે જ RBI તરફથી કહેવામાં આવ્યું છે કે, 20 રૂપિયાની નવી નોટ જાહેર થયા બાદ જૂની નોટ ચલણમાં યથાવત્ રહેશે.
તેનો મતલબ છે કે જે નોટ પહેલાથી ચાલી આવી છે તે બંધ નહીં કરવામાં આવે.
પરંતુ નવી નોટને તેમાં સામેલ કરી દેવાશે. જૂની નોટોના ચલણ પર કોઈ પ્રકારની રોક-ટોક નહીં લગાવવામાં આવે.