IPL 2025 ની ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
લાંબી બેઠક બાદ BCCIએ આ નિર્ણય લીધો છે. IPL 2025ની બીજી ક્વોલિફાયર મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જે 1 જૂને રમાશે.
BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ અંગે માહિતી આપી હતી.
ન્યૂ ચંદીગઢના પીસીએ સ્ટેડિયમમાં પહેલી ક્વોલિફાયર રમાશે. 29 મેના રોજ ગુરૂવારે ટોચની બે ટીમો વચ્ચે આ મેચ રમાશે.
બાદમાં શુક્રવારે 30 મેના રોજ એલિમિનેટર મેચ રમાશે. BCCIએ ફાઈનલ માટે અમદાવાદની પસંદગી કરી છે. કારણકે, દેશમાં ધીમે-ધીમે વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે. જેથી અમદાવાદ ફાઈનલ માટે યોગ્ય સ્થળ છે.
PLની ફાઈનલ 3 જૂને રમાશે I
70 મેચના એક્શન પેક બાદ પીસીએ સ્ટેડિયમ પર ક્વોલિફાયર -1 મેચ રમાશે.
અમદાવાદના મોદી સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર-2 રમાશે. જેમાં ક્વોલિફાયર 1માં હારનારી ટીમ અને એલિમિનિટેર મેચમાં હારનારી ટીમનો આમનો-સામનો થશે.
ત્યારબાદ 3 જૂને આઈપીએલની 18મી સીઝનની ભવ્ય ફાઈનલ મેચ રમાશે.