આજના આધુનિક યુગમાં, જ્યાં યુવાઓ હિપહોપ અને રોક સોંગના રંગમાં રંગાયેલા છે, ત્યાં કાપોદ્રા વિસ્તારનું ભાગરથી સેવા ધૂન મંડળ એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.
આ ગ્રુપ બાળકોથી લઈને યુવાઓ સુધીના સભ્યોનો સમાવેશ ધરાવે છે, જે ધૂન-કીર્તનની સાથે સેવાકીય કાર્યો દ્વારા સમાજસેવા કરે છે.
આ મંડળની ખાસિયત એ છે કે, તેઓ શુભ-અશુભ પ્રસંગો પર નિ:શુલ્ક ધૂન-કીર્તન કરે છે અને દાનમાં મળેલી આવકને ઘરે લઈ જવાને બદલે ગૌસેવા, વિધવા સહાય, શિક્ષણ સહાય, અને પક્ષી-પશુ સેવા માટે દાન કરે છે.
આ ગ્રુપની નિઃસ્વાર્થ સેવા હાલ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
ભાગરથી સેવા ધૂન મંડળ કાપોદ્રા વિસ્તારમાં શુભ પ્રસંગો જેવા કે લગ્ન, જન્મોત્સવ, અને અશુભ પ્રસંગો જેવા કે મરણોત્સવમાં નિ:શુલ્ક ભજન-કીર્તન કરે છે.
આ દરમિયાન સ્વેચ્છિક દાનમાં મળેલી રકમને તેઓ સેવાકીય કાર્યો માટે ઉપયોગે લે છે.
આ રકમનો ઉપયોગ બીમાર ગૌમાતાની સેવા અને ઘાસચારા, વિધવા મહિલાઓને અનાજ-કરિયાણાની કીટ, અનાથ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય, પક્ષીઓને ચણ, અને કીડીઓને કીડીયારું આપવા માટે કરવામાં આવે છે.
આ ગ્રુપની નિઃસ્વાર્થ સેવા લોકોના દિલમાં સ્થાન બનાવી રહી છે.
ભાગરથી સેવા ધૂન મંડળએ કાળઝાળ ગરમીમાં પક્ષીઓની પાણી અને ચણની સમસ્યાને ધ્યાનમાં રાખીને નોંધપાત્ર કાર્ય કર્યું છે.
તાજેતરમાં, તેમણે કાપોદ્રા વિસ્તારમાં 1500 પાણીના કુંડા, 1000 ચકલીના માળા, અને ફીડરનું નિ:શુલ્ક વિતરણ કર્યું. આ પહેલનો હેતુ અબોલ પશુ-પક્ષીઓને ગરમીમાં પાણી અને ખોરાકની સમસ્યાથી બચાવવાનો હતો.
ચકલી જેવા પક્ષીઓ, જે પોતાના માળા ઝાડ પર બનાવી શકતા નથી, તેમના જતન માટે આ ગ્રુપે ખાસ પ્રયાસ કર્યો.
લોકોને પોતાના ઘર કે ઓફિસ આગળ કુંડા અને માળા રાખવાની અપીલ સાથે આ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું.
ભાગરથી સેવા ધૂન મંડળના સભ્યોનું માનવું છે કે, ગરમીના સમયમાં અને વર્ષભર અબોલ પશુ-પક્ષીઓને પાણી અને ખોરાકની સમસ્યા ન થવી જોઈએ.
ચકલી જેવા પક્ષીઓના માળાનું જતન કરવું અને પાણીના કુંડા રાખવા એ આજના સમયમાં અગત્યનું છે.
આ ગ્રુપે લોકોને પક્ષી સંરક્ષણ માટે પ્રેરિત કરવા 1500 કુંડા, 1000 માળા, અને ફીડરનું નિ:શુલ્ક વિતરણ કર્યું, જે તેમના સેવાભાવનું પ્રતિક છે.
આ ઉપરાંત, ગૌસેવા, વિધવા સહાય, અને શિક્ષણ સહાય જેવા કાર્યો દ્વારા આ ગ્રુપ સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.