દેશમાં બાંગ્લાદેશીઓ સહિતના પાડોશી દેશોના લોકો જે ગેરકાનુની રીતે ઘુસીને વસી ગયા છે અને તેઓએ આધાર, પાન અને રેશનકાર્ડ પણ બનાવી લીધા છે તેમાં હવે સરકારે ફકત આ ત્રણ કાર્ડ હોવાના કારણે કોઇની નાગરિકતા માન્ય રહેતી નથી.
તે સ્પષ્ટ કર્યુ છે અને સીટીઝનશીપ માટે જન્મ તારીખ સર્ટીફીકેટ અથવા તો ડોમીસાઇલ સર્ટીને જ મહત્વ આપવામાં આવશે.
હાલમાં જે રીતે અમદાવાદમાં એક મોટા ડિમોલીશનમાં બાંગ્લાદેશીઓ આધાર, પાન અને રેશનકાર્ડ પણ મળી આવ્યા તે તમામ ગેરકાનુની રીતે મેળવાયા હોવાનું બહાર આવ્યું છે અને આધાર સહિતના પોર્ટલ સાથે પણ ચેડા થઇ રહ્યા છે અને તેના કારણે બનાવટી આધાર કાર્ડ અને તેના આધારે પાન કાર્ડ સહિતના દસ્તાવેજો બનાવવાનું સહેલું થઇ ગયું છે.
સરકાર હવે જન્મ સર્ટીફીકેટ અને ડોમીસાઇલ સર્ટીફીકેટને ફંડામેન્ટલ ડોકયુમેન્ટ તરીકે ગણશે.
અને ભારતીયને નાગરિકતા માટે તે જ માન્ય રહેશે. આ માટે સરકાર જન્મ અને મરણ અંગેનો 1969નો કાનુન પણ સુધારવાની તૈયારીમાં છે.