જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી દીધો છે.
આ હુમલામાં માર્યા ગયેલા લોકોના બાળકોના ભવિષ્ય માટે, સામાજિક કાર્યકર અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ એક પ્રશંસનીય પહેલ કરી છે.
આ હુમલામાં અનાથ થયેલા તમામ બાળકોના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ મહેશ સવાણી ઉઠાવશે.
મહેશ સવાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે, પહલગામના હુમલામાં અનાથ થયેલા તમામ બાળકોના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.
પછી ભલે તેઓ કોઈપણ રાજ્ય કે બોર્ડના હોય. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા હૃદયદ્રાવક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે.
આ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મૃત્યુએ ઘણા પરિવારોને નિરાધાર અને બાળકોને અનાથ બનાવ્યા છે.
આ દુ:ખદ અકસ્માત બાદ, દેશભરમાંથી મદદનો વરસાદ શરૂ થઈ ગયો છે.
આ દુખદની ઘડીમાં સુરતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર મહેશ સવાણીએ એક મોટું માનવતાવાદી પગલું ભર્યું છે.
તેમણે આતંકવાદી હુમલામાં જે બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેમના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે.
મહેશ સવાણીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું છે કે, તેઓ અસરગ્રસ્ત પરિવારોની સાથે ઉભા છે અને તેમનું પીપી સવાણી ગ્રુપ બાળકોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી લેશે.