બાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા વધુ એક સેવા કાર્ય કરવામાં આવ્યું છે.
આજના સમયમાં બિમારીઓ વધી રહી છે અને દવાઓ મોંઘી થઈ ગઈ છે.
આ સ્થિતિમાં લોકોને રાહત આપવા માટે માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ આગળ આવ્યું છે, જ્યાં દવાઓ સહિતની તમામ સેવાઓ તમને રાહત દરે મળી રહેશે.
બાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા આરોગ્ય સેવાઓ સસ્તા દરે ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ સેવા માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અને તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ, ICU, એમ્બ્યુલન્સ સેવાઓ અને મેડિકલ રિપોર્ટ્સ અહીં રાહત દરે ઉપલબ્ધ છે.
માત્ર 10 રૂ.માં માનવ હોસ્પિટલમાં સારવાર
માનવ હોસ્પિટલ રાજકોટના રાણી ટાવરમાં કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની સામે છે.
અહીં તમે ઓપીડી ચાર્જ માત્ર 10 રૂપિયામાં મળી શકશો, જેથી ગરીબ અને સામાન્ય વ્યક્તિઓ પણ આ સેવાઓનો લાભ લઈ શકે.
અહીં યુરોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, ઓર્થોપેડિક, કાર્ડિયોલોજિસ્ટ, સર્જરી, મેડિસિન, પેથોલોજિસ્ટ અને રેડિયોલોજિસ્ટ જેવા તજજ્ઞ ડોકટરો ઉપલબ્ધ છે.
સાથે જ માનવ મેડિકલ સેવામાં દવાઓ 50% થી 90% રાહત દરે મળે છે.
અમે જે બાનું ઘર વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ, એમાં અમને ઘણીવાર મેડિકલ ટ્રિટમેન્ટ માટે કહેવામાં આવતું હતું.
જેના માટે અમે એકદિવસીય હેલ્થ કેમ્પ રાખતા હતા. હેલ્થ કેમ્પના માધ્યમ દ્વારા અમે એક દિવસની સેવા આપી શકતા હતા.
અમે વિચાર્યું કે, આ સેવા સતત ચાલુ રહે. તેથી વધુમાં વધુ લોકોને ઉપયોગી થઈ શકાય તથા આરોગ્ય સેવા આપી શકાય એવા હેતુથી અમે રાહત દરે આરોગ્ય સેવા આપવાનું શરૂ કર્યું.
અમારે ત્યાં દરેક પ્રકારના ડૉક્ટર ઉપ્લબ્ધ રહે છે અને માત્ર 10 રૂપિયાના ટોકન ચાર્જમાં દર્દીની તપાસ કરે છે.
અમારે ત્યાં દવાઓ પણ 50થી 90 ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે દર્દીઓને આપવામાં આવે છે.
જેઓ આર્થિક રીતે સક્ષમ નથી અથવા નિરાધાર છે. તેમની પાસે અમે 10 રૂપિયાનો પણ ચાર્જ લેતા નથી.