આજરોજ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે વિવિધ સરકારી યોજનાઓનો વધુને વધુ લોકો સુધી લાભ પહોંચાડી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા દેશના રાજકોટ સહિત પાંચ જિલ્લાઓને ખાસ એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો.
રાજકોટ જિલ્લા વતી કલેકટર પ્રભવ જોશીએ પી.એમ.નાં હસ્તે એવોર્ડ સ્વીકાર્યો હતો ત્યારની તસ્વીર.
રાજકોટ જિલ્લાએ પી.એમ. સુર્યઘર-સોલાર, આંગણવાડી, બાળકો-મહિલાઓને પોષણક્ષમ આહાર-દવાઓ, પી.એમ. જનઆરોગ્ય અને કિશાન ક્રેડીટ કાર્ડ યોજના હેઠળ ખેડુતોનું કલ્યાણ યોજના અંગે નોંધપાત્ર અને શ્રેષ્ઠ કામગીરી કરતા કેન્દ્ર સરકારે ખાસ પુરસ્કાર માટે રાજકોટ જિલ્લાની પણ પસંદગી કરી હતી.