એન્જીનીયરીંગ એન્ટ્રેન્સ ટેસ્ટ જેઈઈ મેઈનમાં બીજા રાઉન્ડની 7,8 અને 9 એપ્રિલે યોજાનારી પરીક્ષાના એડમીટ કાર્ડ પણ ઈસ્યુ કરી દેવાયા છે.
નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ) એ બીજા સત્ર માટે લગભગ 11 લાખ કેન્ડીડેટસનાં એડમીટ કાર્ડ ઈસ્યુ કર્યા છે.2,3,4 એપ્રિલે પરીક્ષા શરૂ થઈ ચૂકી છે.
જેમાં લગભગ 93 ટકા છાત્રોની ભાગીદારી રહી છે.
ગેરહાજર રહેનારાઓમાં પણ એવા છાત્રોની પણ મોટી સંખ્યા છે.
જેમણે પહેલા સેશનની પરીક્ષા આપી હતી.
બતાવવામાં આવી રહ્યુ છે કે પહેલા સેશનની પરીક્ષામાં હાઈ સ્કોર કરનારા ઘણા છાત્રો બીજા સેશનની પરીક્ષામાં બેઠા નથી.
બન્ને સેશનની પરીક્ષામાં બેસ્ટ સ્કોરનાં આધારે રેન્કીંગ જાહેર કરવામાં આવે છે.
સુત્રોનું કહેવુ છે કે, એનટીએ 17 એપ્રિલ સુધીમાં રિઝલ્ટ જાહેર કરી શકે છે.
9 એપ્રિલે પરીક્ષા પુરી થશે અને ત્યારબાદ રિઝલ્ટ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થશે.
ઓવરઓલ રિઝલ્ટ જયારે આવશે તો છાત્રને પોતાના રેન્કીંગની પણ ખબર પડશે.
રિઝલ્ટના આધારે આઈઆઈટીમાં એડમીશન માટે યોજાનારી જેઈઈ એડવાન્સ્ડ પરીક્ષામાં છાત્ર સામેલ થાય છે.
Jee Main 2025 માં વીઈ બીટેક પેપરમાં સરેરાશ અઢી લાખ રેન્ક સુધી હાંસલ કરનાર છાત્રોને જેઈઈ એડવાન્સ્ડ આપવાનો મોકો મળશે તેના માટે 23 એપ્રિલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે અને 2 મે સુધી આવેદન કરી શકાશે.
5 મે સુધીમાં ફી જમા કરાવી શકાશે. 18મેએ પરીક્ષા યોજાશે.