કેન્દ્ર સરકારે ભારતીય બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર 14 એપ્રિલે જાહેર રજા જાહેર કરી છે.
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં સરકારના નિર્ણયની માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે, "બંધારણના ઘડવૈયા, સમાજમાં સમાનતાના નવા યુગની સ્થાપના કરનારા, આપણા બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ પર હવે જાહેર રજા રહેશે.
શેખાવતે કહ્યું, "આ નિર્ણય લઈને, બાબા સાહેબના સમર્પિત અનુયાયી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રની લાગણીઓનું સન્માન કર્યું છે.
" કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા જારી કરાયેલા સરકારી આદેશમાં પુષ્ટિ આપવામાં આવી છે કે, સમગ્ર ભારતના ઓદ્યોગિક મથકો સહિત કેન્દ્ર સરકારની કચેરીઓ 14 એપ્રિલ 2025ના રોજ આંબેડકર જયંતિ નિમિત્તે બંધ રહેશે. આદેશમાં જણાવાયું છે કે, ભારત સરકારના તમામ મંત્રાલયો અથવા વિભાગો આ નિર્ણયને બધાના ધ્યાન પર લાવી શકે છે.