Namo ભારતના યાત્રીઓ પોતાનું લોયલ્ટી પોઈન્ટ રિડીમ કરીને મફતમાં યાત્રાનો આનંદ ઉઠાવી શકશે.
એનસીઆરટીસી દ્વારા હાલમાં જ શરૂ કરવામાં આવેલ પ્રોગ્રામ અંતર્ગત યાત્રી Namo ભારત એપના માધ્યમથી ડિઝીટલ કયુઆર ટિકીટ જનરેટ કરીને કે નેશનલ કોમન મોબિલીટી કાર્ડ (એનસીએમસી)નો ઉપયોગ કરીને યાત્રા કરવા પર દર વખતે લોયલ્ટી પોઈન્ટ એકત્ર કરે છે.
ન્યુનતમ 300 લોયલ્ટી પોઈન્ટ જમા કરીને યાત્રી તેને મફત યાત્રા માટે રિડીમ કરી શકે છે.
કેવી રીતે મળે પોઈન્ટ દાખલા તરીકે જો કોઈ યાત્રી પોતાની યાત્રા પર 100 ખર્ચ કરે છે તો તેને 10 મી બરાબર 100 પોઈન્ટ મળે છે.
જે તેમનાં એનસીએમસી ખાતામાં જોડાય છે. એકવાર પૂરતા પોઈન્ટ જમા કર્યા બાદ યાત્રી તેને રિડિમ કરી શકે છે.
યાત્રીને વારંવાર પોઈન્ટ રિડિમ કરવામાં અસૂ વિધાનો સામનો ન કરવો પડે તેના માટે એક સાથે પાંચ ટ્રિપ્સ રિડેમ કરવાની પણ જોગવાઈ રખાઈ છે.
આ પાંચ ટ્રિપ્સના ભાડાના બરાબર પોઈન્ટસ યાત્રીઓનાં NCMC એકાઉન્ટમાંથી કાપી લેવામાં આવશે.
રિડીંગ કરી મેળવેલ યાત્રા 7 દિવસ માટે માન્ય છે. એટલે આ સમય સીમામાં યાત્રા કરી લેવી જોઈએ.