હાલમાં જ ચેમ્પીયન ટ્રોફી વિજેતા ભારતીય ટીમ પર ક્રિકેટ બોર્ડે નાણાનો વરસાદ કર્યો છે અને ટીમના સભ્યોને ઉપરાંત કોચીંગ અને સપોર્ટ સ્ટાફને રૂા.58 કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
જેમાં ટીમ પસંદગી સમીતીનો પણ સમાવેશ કરાયો છે. ક્રિકેટ બોર્ડ દ્વારા આ અંગે એક જાહેરાતમાં જણાવાયું છે કે, સતત આઈસીસી ટ્રોફી જીતવી એ એક ગૌરવની બાબત છે અને તેમનું સન્માન થવું જોઈએ.
ટીમ ઈન્ડિયાની પ્રતિબદ્ધતા અને શ્રેષ્ઠતાને ક્રિકેટ બોર્ડ માન આપે છે. ભારતે ચેમ્પીયન ટ્રોફી ફાઈનલમાં ન્યુઝીલેન્ડને ચાર વિકેટે પરાજીત કરી હતી અને ટ્રોફી જીતી હતી.
આ અગાઉ 2024માં ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ પણ જીત્યો હતો અને તે સમયે પણ ક્રિકેટ બોર્ડે ટીમને જંગી રકમનું ઈનામ આપ્યુ હતું.