અયોધ્યાના પવિત્ર ધાર્મિક સ્થળોને ડિઝીટલ રૂપે જોડવા માટે અયોધ્યા વિકાસ ઓથોરિટી (એડીએ) અને 1- પ્લે ગ્રુપે મળીને ‘અયોધ્યા યાત્રા’ એપ લોન્ચ કરી છે.
એડીએના ઉપાધ્યક્ષ અશ્વિનીકુમાર પાંડેએ જણાવ્યું હતું કે, આ એપ અયોધ્યાના મુખ્ય મંદિરો અને ધાર્મિક સ્થળોમાં લાઈવ દર્શન અને 360 ડીગ્રી વર્ચ્યુઅલ રૂટનો અનુભવ કરાવે છે.
શ્રદ્ધાળુ રામમંદિર, હનુમાનગઢી સહિત 20થી વધુ મુખ્ય મંદિરોના લાઈવ દર્શન કરી શકે છે.
સાથે સાથે એપ પર પર્સનલાઈઝડ પુજનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે.
જયાં શ્રદ્ધાળુ ઘેરબેઠા પોતાના પસંદગીના મંદિરમાં પુજા કરાવી શકે છે.
આ સિવાય પુજા સામગ્રીની ડિલીવરી પણ શ્રદ્ધાળુઓના ઘર સુધી કરવામાં આવશે.