કેન્દ્ર સરકારે રેલવે સેકટરની બે મુખ્ય કંપનીઓ ભારતીય રેલવે કેટરીંગ તેમજ પર્યાપ્ત નિગમ (IRCTC) અને ભારતીય રેલવે નાણા નિગમ (IRFC)ને નવરત્ન કંપનીનો દરજજો આપ્યો છે.
સાર્વજનીક વિભાગ (ડીપીઇ)એ જણાવ્યું છે કે, દેશમાં હવે નવરત્ન કં5નીઓની સંખ્યા વધીને 26 થઇ ગઇ છે. IRCTC આ યાદીમાં સામેલ થનારી રપમી અને IRFC 26મી કંપની બની છે.
નવરત્નનો દરજજો પ્રાપ્ત કર્યા બાદ કંપનીઓ નાણાકીય રીતે વધુ સશકત અને સ્વાયત થશે.
આ સિધ્ધિ પર રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે સોશ્યલ મીડિયા પર બંને કંપનીઓને અભિનંદન પાઠવ્યા હતા.
IRCTC રેલ મંત્રાલયને આધિન એક જાહેર સાહસ છે, જેણે નાણાકીય વર્ષ 2023-24માં 4270.10 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો.
તેનો ચોખ્ખો નફો 1111.26 કરોડ રૂપિયા અને કુલ નેટવર્થ 3229.97 કરોડ રૂપિયા નોંધાયો છે. જયારે IRFCનો સમાન સમયગાળામાં 26644 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રના ઉપક્રમોને ત્રણ શ્રેણીમાં વહેંચ્યા છે.
પહેલી શ્રેણી મહારત્ન, બીજી શ્રેણી નવરત્ન અને ત્રીજી શ્રેણી મીનીરત્ન છે જેનો ઉદ્દેશ કંપનીઓની આર્થિક સ્થિતિને બહેતર બનાવવાનો છે.