ગુજરાતની પ્રથમ રાજધાની ગણાતી અને ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકાને સ્વર્ગનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે.
આ નગરી ચાર મઠોમાંની એક છે, જ્યાં ગુજરાત સરકાર કોરિડોર બનાવવા જઈ રહી છે.
દ્વારકાધીશ જગત મંદિરથી રુક્મણી મંદિર સુધીનો વિકાસ કરાશે.
આ તબક્કામાં 138 કરોડના ખર્ચે એક ખાસ વ્યૂઈંગ ગેલેરી બનશે, જેમાં જૂની દ્વારકા નગરીની ઝલક જોવા મળશે.
બેટ દ્વારકાના મુખ્ય મંદિરથી હનુમાન દંડી સુધીનો વિકાસ કરવામાં આવશે, જેમાં ખુલ્લા સમુદ્રને જોઈ શકાય તેવું સ્ટ્રક્ચર બનાવાશે.
શ્રદ્ધાળુઓને તડકામાં લાઈનમાં ન ઊભા રહેવું પડે તેવી વ્યવસ્થા કરાશે તેમજ બેટ દ્વારકાથી હનુમાન દંડી વાહનો લઈને જઈ શકાય એવી વ્યવસ્થા પણ કરાશે.
નાગેશ્વર મંદિર અને ગોપી તળાવનો વિકાસ કરવામાં આવશે.
આ બધાં સ્થળોને જોડવામાં આવશે અને દેવભૂમિ દ્વારકા કોરિડોરના આકર્ષક સ્થળો બનાવવામાં આવશે.
ભગવાન કૃષ્ણની 108 ફૂટની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ પણ બનાવવામાં આવશે.
કોરિડોરમાં વોક વે, વોલ પેઈન્ટિંગ, ભોજનશાળા, ઈકો ટૂરિઝમ, વોટર સ્પોર્ટ્સ, મરીન ઈન્ટરપ્રિટેશન સેન્ટર, લેક ફ્રન્ટ, ડોલ્ફિન જોવાની ગેલેરી જેવી સુવિધાઓ પણ હશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક જામ ખંભાળિયા છે, જે 15 ઓગસ્ટ, 2013ના રોજ જામનગર જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યું હતું.
આ જિલ્લામાં ચાર તાલુકાઓ છે: ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડ. દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર આવેલું છે, જે હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર ચાર પવિત્ર સ્થળોમાંનું એક છે.
દ્વારકાને ગુજરાતની પ્રથમ રાજધાની માનવામાં આવે છે અને આ શહેરનો શાબ્દિક અર્થ "સ્વર્ગનું પ્રવેશદ્વાર" થાય છે