ઉત્તરપ્રદેશના ફતેહપુરમાં ખેતીકામ કરતા અને શિલ્પકારી માટે જાણીતા ડો.શૈલેન્દ્ર ઉત્તમ પટેલે ચોખાના દાણાથી ભગવાન રામની 10 ફુટ ઉંચી રામની મૂર્તિ બનાવી છે.
આ પહેલાં પણ શૈલેન્દ્ર અન્ય ચીજોની મદદથી મુર્તિઓ બનાવી ચુકયા છે.
શૈલેન્દ્ર ફત્તેહપુર જિલ્લાના ધરમપુર ગામના રહેવાસી છે.
તેમના પિતા એક સાધારણ ખેડૂત છે. અને શૈલેન્દ્ર પણ પિતા સાથે ખેતીનું જ કામ કરે છે. જો કે નવરાશના સમયમાં શિલ્પકારી તેમનો શોખ છે.
આ પહેલાં તેમણે ચોખા અને ઘંઉના દાણાથી સિકકા, અશોકચક્ર અને અન્ય ભગવાનની મૂર્તિઓ પણ બનાવી છે.
તેમની કેટલીક ઉપલબ્ધિને ગિનેસ વર્લ્ડ રેકોડર્સમાં સ્થાન પણ મળ્યું છે.
ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પુરો કરીને અયોધ્યા પાછા આવ્યા હતા એટલે તેમણે 14 મણ ચોખાનો ઉપયોગ કરીને ભગવાન રામની મૂર્તિ બનાવી હતી.
અયોધ્યામાં રામમંદિરની સ્થાપના થઈ ત્યારે જ તેમણે રામજી માટે કંઈક નવું સર્જન કરવાનું નકકી કર્યુ હતું.
જો કે એ પછી જયારે તેમણે ફાઈનલ કર્યું કે મૂર્તિ ચોખામાંથી બનાવવી છે.એ પછી તેમને 6 મહિના લાગ્યા હતા.
આ મૂર્તિ માટે તેમણે બે લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે રામની અનોખી મૂર્તિનાં દર્શન કરવા માટે હવે લોકોની લાઈન લાગી રહી છે.