મહાકુંભ 2025માં જવા માંગતા શ્રદ્ધાળુઓ અંગે ગોવા સરકારે એક મોટી ભેટ આપતા રાજ્યમાંથી ત્રણ સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો દ્વારા શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ સુધીની મફત યાત્રા કરી શકશે. આ મહાકુંભ સ્પેશિયલ ટ્રેનો 6 ફેબ્રુઆરીથી શરૂ થય ગય છે. હજારો શ્રદ્ધાળુઓ આનો લાભ લઈ શકશે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ અંગે વધુ માહિતી આપી હતી.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમડી રહી છે.
દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવીને પવિત્ર સ્નાન કરી રહ્યા છે.
આ દરમિયાન ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે સેંકડો વધારાની ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.
જેમાં હવે ગોવા સરકારે ગોવાથી પ્રયાગરાજ સુધીની સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરીને તેના રાજ્યના ભક્તોને મોટી ભેટ આપી છે.
આ ટ્રેનમાં શ્રદ્ધાળુઓ ફ્રીમાં યાત્રા કરી શકશે.