Logo
Dashboard
Article
Add Article
Article list
Logout
Add Article
Add Article
Article Title
Article Text 1
નાણામંત્રી નિર્મલા સિતારામને મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું સામાન્ય બજેટ રજૂ કરતા બજેટને ગરીબ, યુવાનો, ખેડુતો અને મહિલાઓ આધારીત ગણાવ્યું છે. આ બજેટમાં આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ (AI)ના શિક્ષણ પર ધ્યાન આકર્ષક જાહેરાત કરવામાં આવી છે. દેશમાં એઆઇ શિક્ષણ માટે ત્રણ સેન્ટર ફોર એકસેલન્સની સ્થાપના કરવામાં આવશે. કેન્દ્રીય બજેટમાં આ એકસેલન્સ સેન્ટરની સ્થાપના અને તેના મારફત વિદ્યાર્થીઓને કૃત્રિમ બુધ્ધિમતાના શિક્ષણ માટે 500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ભારતીય ભાષાના પુસ્તકો ડિજીટલમાં પણ ઉપલબ્ધ થશે. શાળા અને ઉચ્ચ શિક્ષણ વિદ્યાલય માટે ડિજીટલ બુકસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શિક્ષણ ક્ષેત્ર માટે નાણામંત્રીએ IITના વિસ્તરણની યોજના પણ બનાવી છે. વધુ પાંચ આઇઆઇટી માટે આતંરિક માળખાકીય સુવિધા અને 6500 નવી સીટ ઉમેરવામાં આવશે. પટનામાં છાત્રાલય અને નવા બિલ્ડીંગ નિર્માણ વધારવામાં આવશે. આઇઆઇટી બેંગ્લોરના છાત્રો માટે 10 હજાર પીએમ રીસર્ચ ફેલોશીપ આપવામાં આવશે. આ રીતે ઉચ્ચ અભ્યાસ સાથે પૂરા વિશ્ર્વ સાથે જોડાવા આઇઆઇટીથી માંડી એઆઇના અભ્યાસ માટે પણ હવે નવા રસ્તા ખુલવા જઇ રહ્યા છે.
Article Text 2
ભારત સહિત અનેક દેશોની રમકડા બજાર પર ચાઇનીઝ માલનો મોટો પ્રભાવ છે ત્યારે ચીનને ટકકર મારવા ભારતીય માર્કેટને અગ્રેસર બનાવવાનું લક્ષ્યાંક પણ બજેટમાં નકકી કરવામાં આવ્યું છે. ભારતને ટોયઝનું હબ બનાવવા સરકારનો ઇરાદો છે. આથી ચીનને ટકકર મારે તેવું મેઇક ઇન ઇન્ડિયા અભિયાન ચલાવવા પ્રોત્સાહન અપાશે. સ્કીલ ડેવલપમેન્ટ અને મેન્યુફેકચરીંગને સરકાર પૂરી મદદ કરશે. રમકડા બજારમાં હાલ ચાઇનાની અમુક વસ્તુમાં મોનોપોલી પણ છે જેની સામે સરકાર ઘરના ઉદ્યોગને પ્રોત્સાહન આપશે અને તેથી નવી રોજગારીનું પણ સર્જન થવાની આશા છે. દેશમાં નિકાસ ક્ષેત્રને સરકાર વધુને વધુ પ્રોત્સાહન આપી રહી છે. હવે નિકાસને લગતી તમામ પ્રક્રિયા અને નિયમો વેપારીઓને એક જ પ્લેટફોર્મ પર મળી રહે તે માટે ‘ભારત ટ્રેડ નેટ’ પોર્ટલ ઉભુ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ રજૂ કરેલા પોતાના આઠમા બજેટમાં નિકાસકારો માટે ઘણી વહીવટી સરળતાઓ વિચારવામાં આવી છે. ભારત ટ્રેડ નેટ પોર્ટલ ઉભુ થાય એ સાથે ધંધાર્થીઓ આ એક જ ડિજીટલ પ્લેટફોર્મ પર નિકાસને લગતી તમામ પ્રક્રિયા કરી શકશે. નિકાસ કરવાની વસ્તુ માટેની વિદેશ મંત્રાલયથી માંડીને શીપીંગ સુધીની પ્રક્રિયા, માલનું ટ્રેકીંગ, જે તે દેશમાં પહોંચતા માલની સ્થિતિ અને તેને લગતા નિયમોની તમામ માહિતી આ પ્લેટફોર્મ પરથી મળી રહેશે. આ રીતે નિકાસકારોના તમામ પ્રશ્ર્નોના સમાધાન એક જ પ્લેટફોર્મ પર મળતા રહે તેવો નવો પ્રયાસ બજેટમાં કરવામાં આવ્યો છે.
Article Text 3
દેશમાં કેન્દ્ર સરકારના બજેટમાં આજે ખેડુતોના લાભ માટે નવી પીએમ ધન ધાન્ય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. દેશના 100 જિલ્લામાં ખેડુતોને આ યોજનાનો લાભ મળશે. ખેતી માટેના જુદા જુદા પ્રોત્સાહન, નવી પધ્ધતિ, નવા પાકના વાવેતર સહિતનું માર્ગદર્શન આ યોજના મારફત મળશે. દેશના 1.70 લાખ ખેડુતોને આ યોજનાનો લાભ પહોંચે તેમ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હાલ પૂરા દેશમાં લોકોને આરોગ્ય સેવાઓનો લાભ મળી રહ્યો છે. પરંતુ દેશનો કામદાર વર્ગ તેનાથી જરા પણ વંચિત ન રહે તે માટે ખાસ ઇ-શ્રમ પોર્ટલ શરૂ કરવા નિર્ણય લેવાયો છે. જનઆરોગ્ય યોજના અંતર્ગત માત્ર કામદારો માટે ખાસ પોર્ટલ એકટીવ થશે. અન્ય તમામ વર્ગ કરતા શ્રમજીવીઓને રજીસ્ટ્રેશન માટે સરળતા મળશે. પીએમ જય યોજના હેઠળ આરોગ્ય અને સારવારના લાભો આ વર્ગને વધુમાં વધુ પહોંચે તેવો આ આયોજનનો હેતુ છે.
Article Type
News
Story of Parmarth
Story of Purusarth
Article Language
Gujrati
Hindi
English
Display on Section
Home Page Small Slider
Home Page Big Slider
Top Stories
State
Gujarat
Andhra Pradesh
Andaman and Nicobar Islands
Arunachal Pradesh
Assam
Bihar
Chandigarh
Chhattisgarh
Dadar and Nagar Haveli
Daman and Diu
Delhi
Lakshadweep
Puducherry
Goa
Haryana
Himachal Pradesh
Jammu and Kashmir
Jharkhand
Karnataka
Kerala
Madhya Pradesh
Maharashtra
Manipur
Meghalaya
Mizoram
Nagaland
Odisha
Punjab
Rajasthan
Sikkim
Tamil Nadu
Telangana
Tripura
Uttar Pradesh
Uttarakhand
West Bengal
Area
News
Story of Parmarth
Story of Purusarth
Article Tags
Article Image Url 1
Article Image Url 2
Article Image Url 3
Video Url
Article Location
Article Keywords