દિલ્હીના ભારત મંડપમ ખાતે વીર બાળ દિવસના અવસરે વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. આ વખતે 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 17 બાળકોને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં 7 છોકરાઓ અને 10 છોકરીઓ સામેલ હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ 17 બાળકોને એવોર્ડ આપ્યા. આ એવોર્ડ સાત કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં કલા અને સંસ્કૃતિ, બહાદુરી, ઈનોવેશન, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક કાર્ય, રમતગમત અને પર્યાવરણનો સમાવેશ થાય છે. દિલ્હી ખાતે ભારત મંડપમમાં વીર બાલ દિવસ કાર્યક્રમમાં PM મોદીએ ભાગ લાધો હતો. આ કાર્યક્રમમાં મોદી વડાપ્રધાનના રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓને મળ્યા હતા. પીએમ મોદીએ કહ્યું- જો આપણે મેન્યુફેક્ચરિંગ પર કામ કરીશું તો દુનિયામાં સર્વશ્રેષ્ઠ બનીશું. જો સ્પેસ સેક્ટરમાં કામ કરો છો, તો વિશ્વમાં બેસ્ટ હશો. બેસ્ટ એ આપણું ધોરણ હોવું જોઈએ.
વીર બાળ દિવસ આપણને પ્રેરણાથી ભરી દે છે અને નવા સંકલ્પો માટે પ્રેરણા આપે છે. મેં લાલ કિલ્લા પરથી પણ કહ્યું હતું કે હવે ફક્ત બેસ્ટ જ આપણું ધોરણ હોવું જોઈએ. આપણા યુવાનો ગમે તે ક્ષેત્રમાં હોય તેમાં શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ. ઈતિહાસથી લઈને વર્તમાન સુધી, યુવા ઊર્જાએ હંમેશા ભારતની પ્રગતિમાં મોટી ભૂમિકા ભજવી છે. સ્વતંત્રતા સંગ્રામથી લઈને 21મી સદીના જન આંદોલનો સુધી દરેક ક્રાંતિમાં ભારતના યુવાનોએ યોગદાન આપ્યું છે. આજની ઝડપથી બદલાતી દુનિયામાં, નવી જરૂરિયાતો, નવી અપેક્ષાઓ, અપવાદો અને ભવિષ્ય માટે નવા વિઝન છે. આ યુગ મશીનોથી આગળ વધીને મશીન લર્નિંગ તરફ આગળ વધી રહ્યો છે. AIનો ઉપયોગ વધી રહ્યો છે, જે સામાન્ય સોફ્ટવેરની જગ્યા લઈ રહ્યું છે. આપણે દરેક ક્ષેત્રમાં નવા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. તેથી, આપણે આપણા યુવાનોને જણાવવું પડશે કે આગળ કેવું ભવિષ્ય છે. વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર શું છે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1996માં શરૂ કરવામાં આવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરનારા બાળકોને સન્માનિત કરવાના હેતુથી રાષ્ટ્રીય બાળ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. 1996થી એવોર્ડ મેળવનાર આ બાળકો કર્તવ્ય પથ પર યોજાતી ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લે છે. કયા બાળકોને આ એવોર્ડ મળે છે? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે બાળકોને પસંદ કરે છે. જે બાળકોની ઉંમર 5 વર્ષથી વધુ અને 18 વર્ષથી ઓછી છે. જેઓ ભારતના નાગરિક છે અને દેશમાં રહે છે. તેમને આ એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 2018માં બહાદુરીના ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરનાર બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. એવોર્ડ 7 કેટેગરીમાં આપવામાં આવે છે શરૂઆતમાં આ એવોર્ડ 6 કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, શિક્ષણ, સમાજ સેવા અને રમતગમતનો સમાવેશ થતો હતો. હવે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ ઉમેરો થયો છે. જો તમે એવોર્ડ જીતશો તો તમને શું મળશે? વડાપ્રધાનના રાષ્ટ્રીય બાળ પુરસ્કારના દરેક વિજેતાને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ સાથે એવોર્ડ વિજેતાઓને 1 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર પણ મળે છે.
2023માં 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 11 બાળકોને એવોર્ડ આપવામાં આવ્યો હતો. એવોર્ડ વિજેતાઓમાં બહાદુરી અને સામાજિક કાર્ય કેટેગરીમાં એક બાળક, ઈનોવેશનમાં બે, રમતગમતમાં ત્રણ અને કલા અને સંસ્કૃતિ કેટેગરીમાં ચાર બાળકનો સમાવેશ થાય છે. આ 11 એવોર્ડ વિજેતાઓમાંથી 5 છોકરીઓ અને 6 છોકરાઓ હતા.