Logo
Dashboard
Article
Add Article
Article list
Logout
Add Article
Add Article
Article Title
Article Text 1
રાજકોટ નજીક પડધરી પાસે રૂપિયા 300 કરોડના ખર્ચે દેશના સૌથી મોટા સદભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ કરાઈ રહ્યું છે. પડધરીના રામપર નજીક બની રહેલા આ વૃદ્ધાશ્રમમાં એકસાથે 5100 વૃદ્ધો રહી શકે તે માટે 11 માળના કુલ 7 બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. અહીં જે વૃદ્ધોને રાખવામાં આવશે તેઓને હોટલ જેવી સુવિધા મળી રહેશે. રાજકોટ નજીક બની રહેલા દેશના સૌથી મોટા વૃદ્ધાશ્રમના લાભાર્થે 23મી તારીખથી રાજકોટના આંગણે મોરારિબાપુની રામકથા યોજાશે. રાજકોટના રેસકોર્સમાં મોરારિબાપુની કથાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
Article Text 2
દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ રાજકોટમાં નિર્માણ પામવા જઈ રહ્યો છે. જામનગર રોડ ઉપરના રામપર ગામમાં 30 એકરની વિશાળ જગ્યામાં રૂ. 300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ રહેલા આ સદભાવના વૃદ્ધાશ્રમમાં દેશભરમાંથી નિરાધાર, અશક્ત, પથારીવશ, કોમામાં તેમજ ડાઈપર ઉપર રહેલા 5,100 વડીલોને આશરો મળી રહે તે માટે 1,400 રૂમો તૈયાર કરવામાં આવેલા છે. 11 માળના 7 બિલ્ડિંગમાં વડીલોને નિ:શુલ્ક ભોજન માટે અન્નપૂર્ણા ગૃહની સાથે મંદિર, કસરતનાં સાધનો, યોગા રૂમ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનિટી હોલ અને બાગબગીચા સહિતની તમામ સુવિધા ઊભી કરવામાં આવશે.
Article Text 3
વિજય ડોબરિયાએ જણાવ્યું હતું કે, મોરારિબાપુની 12 વર્ષ બાદ રાજકોટમાં રામકથા યોજાવાની છે અને પ્રથમ વખત મોરારિબાપુ વૃદ્ધો અને વૃક્ષો માટે કથા કરવાના છે. શહેરના રેસકોર્સ મેદાનમાં યોજાનારી કથા સદભાવના વૃદ્ધાશ્રમના નવનિર્મિત ભવનના લાભાર્થે છે. રાજકોટથી 16 કિલોમીટર દૂર જામનગર રોડ ઉપર રામપર ગામે 300 કરોડના ખર્ચે ભારતનું સૌથી મોટો વૃદ્ધાશ્રમ નિર્માણ પામી રહ્યો છે. જ્યાં 5000 વડીલો માટે 1400 રૂમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મોરારિબાપુની કથાને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાતા કાર્યકર્તા બની સેવા આપી રહ્યાં છે. એકસાથે 50,000થી વધુ લોકો ભોજન કરી શકે અને 1 લાખ લોકો કથા શ્રવણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કથા દરમિયાન 3000થી વધુ સ્વયં સેવકો ખડેપગે રહેવાના છે. રાજકોટ શહેરના તમામ લોકો આ કથામાં જોડાય તે પ્રકારના અમારા પ્રયાસો છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, મોરારિબાપુ વૃક્ષો અને વૃદ્ધો માટે કથા આપી રહ્યા છે. જેમાં 150 કરોડ વૃક્ષોનું વાવેતર કરી પૂરા ભારત દેશને ગ્રીન ઇન્ડિયા બનાવવાની હાંકલ કરવામાં આવશે. વૃક્ષો વિના જીવન નથી અને વૃક્ષો એ જ પક્ષીઓ અને તમામ જીવોનું અન્નક્ષેત્ર છે. આ ઉપરાંત સમગ્ર ભારત દેશમાંથી નિઃસંતાન અને નિરાધાર વડીલો રહી શકે તે માટે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નવા ભવનનુ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનુ સૌથી મોટો વૃદ્ધાશ્રમ હશે અને તેમાં એ વડીલો જ રોકાઈ શકશે કે જેમને કોઈ સંતાન નથી અને જીવવા માટે કોઈનો આધાર નથી.
Article Type
News
Story of Parmarth
Story of Purusarth
Article Language
Gujrati
Hindi
English
Display on Section
Home Page Small Slider
Home Page Big Slider
Top Stories
State
Gujarat
Andhra Pradesh
Andaman and Nicobar Islands
Arunachal Pradesh
Assam
Bihar
Chandigarh
Chhattisgarh
Dadar and Nagar Haveli
Daman and Diu
Delhi
Lakshadweep
Puducherry
Goa
Haryana
Himachal Pradesh
Jammu and Kashmir
Jharkhand
Karnataka
Kerala
Madhya Pradesh
Maharashtra
Manipur
Meghalaya
Mizoram
Nagaland
Odisha
Punjab
Rajasthan
Sikkim
Tamil Nadu
Telangana
Tripura
Uttar Pradesh
Uttarakhand
West Bengal
Area
News
Story of Parmarth
Story of Purusarth
Article Tags
Article Image Url 1
Article Image Url 2
Article Image Url 3
Video Url
Article Location
Article Keywords