ભારત સરકારની CCS એટલે કે વડાપ્રધાનના નેતૃત્વવાળી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ બે સ્વદેશી પરમાણુ સબમરીનને બનાવવાની પરવાનગી આપી દીધી છે. તેનાથી ભારતીય નૌસેનાની વ્યૂહાત્મક અને આક્રમક શક્તિમાં વધારો થશે. આ સબમરીનના બનવાથી નૌસેનાની શક્તિ હિંદ મહાસાગર વિસ્તાર અને દક્ષિણ ચીન સાગરમાં વધી જશે. આ સબમરીનને વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડિંગ સેન્ટરમાં બનાવવામાં આવશે. આને બનાવવામાં લાર્સેન એન્ડ ટુબ્રો જેવી ખાનગી કંપનીઓની મદદ પણ લેવામાં આવી શકે છે. સબમરીન 95 ટકા સુધી સ્વદેશી હશે. આ સબમરીન અરિહંત ક્લાસથી અલગ હશે. આને પ્રોજેક્ટ એડવાન્સ્ડ ટૅક્નોલૉજી વેસલ હેઠળ બનાવવામાં આવશે.
હજુ બે સબમરીન બનશે, તે બાદ વધુ ચાર બનાવવામાં આવી શકે છે. ભારતે તાજેતરમાં જ પોતાની બીજી SSBN એટલે કે પરમાણુ સબમરીન INS અરિહંત કમિશનની છે. આગામી વર્ષની અંદર ભારતીય નૌસેનામાં અલગ-અલગ પ્રકારના ઘણા યુદ્ધજહાજ અને સબમરીન ઉમેરાશે.