માણેકબાગના પટેલ પરિવારમાં ચાર ભાઈઓ અને એક બહેનનાં વિસ્તૃત પરિવારમાં 27 સભ્યો છે. આમાંથી, 16 લોકોએ 50 થી વધુ વખત રક્તદાન કર્યું છે, જેમાં 100 થી વધુ વખત રક્તદાન કરનારા ચારનો પણ સમાવેશ થાય છે! " પરિવારનાં સૌથી નાનાં સભ્ય ડો. મૌલિન પટેલ કહે છે કે "સંયુક્ત રીતે, અમે રાષ્ટ્રીય રક્તદાન દિવસે અત્યાર સુધીમાં લગભગ 1400 યુનિટ રક્તનું દાન કર્યું છે. એક યુનિટ 450 ળહ ગણીએ તો કુલ 630 લીટર થાય છે.
રાષ્ટ્રીય રક્તદાન દિવસ 1 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. અમદાવાદ રક્તદાન માટે પણ અગ્રેસર રહ્યું છે. અહીં બે પરિવારનાં રક્તદાતાઓએ કુલ 2190 યુનિટ રક્તદાન કર્યુ છે. એક બીજા માલવંકર પરિવારનાં રક્તદાતાઓએ 790 યુનિટ રક્તદાન કર્યુ છે . જયારે પટેલ પરિવારનાં રક્તદાતાઓએ 1400 યુનિટ રક્તદાન કર્યુ છે.
આ પરિવારે જણાવ્યું હતું કે અમારા પરિવારની આ પરંપરા સત્ય સાઈ બાબાથી પ્રેરિત થઈને શરૂ કરવામાં આવી હતી. 1985 માં, થેલેસેમિયાવાળા બાળકો માટે નિયમિત રક્ત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે તેમણે 94 વખત રક્તદાન કર્યું છે, જ્યારે તેમનાં પુત્ર અમૂલે 103 વખત રક્તદાન કર્યું છે. આજે, ત્રીજી પેઢી વારસાને આગળ ધપાવી રહી છે," ડો. મૌલિન પટેલ કહે છે, તેમની બહેન ડિમ્પલ ભીમાણીએ 103 વખત રક્તદાન કર્યું છે.તેનાં માતા પિતા એ 98 વખત રક્તદાન કર્યુ છે " ડિમ્પલ ભીમાણી કહે છે કે સામાન્ય રીતે સ્ત્રીઓ રક્તદાન માટે આગળ આવતી નથી પરંતુ તે એક મિશન તરીકે એકંદરે કુટુંબનો ટેકો અને રક્તદાન હતું જેને તેને નિયમિતપણે રક્તદાન કરવાની પ્રેરણા આપી હતી.