મુકેશ અંબાણી ના નેતૃત્વ હેઠળની દેશની સૌથી વેલ્યૂએબલ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી વાર્ષિક બેઠક માં એક મોટું એલાન કરાયું
મુકેશ અંબાણીએ તેમની કંપનીના શેરહોલ્ડર્સને 1:1 શેર્સ બોનસમાં આપવાની જાહેરાત કરી દીધી છે. મુકેશ અંબાણીએ એજીએમની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને હવે 5 સપ્ટેમ્બરે બોર્ડના મેમ્બર્સની બેઠક યોજાશે. બિઝનેસના વિસ્તરણ અને મજબૂત ફાયનાન્શિયલ પરફોર્મન્સને જોતા કંપનીએ આ જાહેરાત કરી હતી. આ મામલે મુકેશ અંબાણીએ તમામ માહિતી રિલાયન્સની એજીએમમાં આપી હતી.
મુકેશ અંબાણીએ કહ્યું કે ગત વર્ષે રિલાયન્સે 2555 પેટન્ટ ફાઈલ કરી. કંપનીનું ભવિષ્ય ઉજ્જવળ છે. જિયો ફાયનાન્શિયલ સર્વિસિઝ વિશે તેમણે કહ્યું કે કંપની સારો બિઝનેસ કરી રહી છે અને તેનું માર્કેટ કેપ પણ 2.2 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે