ગાઢ ધુમ્મસમાં જ્યારે વિઝિબિલિટી શૂન્ય થઈ જાય છે, ત્યારે 1 મીટરનો એરિયા પણ બરોબર દેખાતો નથી.
ત્યારે આટલા ધુમ્મસમાં વિમાનને રનવે પર કઈ રીતે લેન્ડિંગ કરાવવામાં આવતું હશે?
રોડ પર જ્યારે જીરો વિઝિબિલિટી થઈ જાય ત્યારે બરોબર ન દેખાતાં ગાડીઓ ચલાવવામાં મુશ્કેલી પડતી હોય છે.
તો પછી વિચારો કે ગાઢ ધુમ્મસમાં ફ્લાઈટને કઈ રીતે લેન્ડ કરવામાં આવતું હશે...
ગાઢ ધુમ્મસમાં ફ્લાઈટને લેન્ડ કરવા ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે
વાસ્તવમાં રનવે પર ભલેને ગમે તેવો ધુમ્મસ હોય પરંતુ, પ્લેન રનવે પર સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે.
તેની પાછળ એક ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, આવો આજે એ ટેકનોલોજી વિશે વિસ્તૃતમાં જાણીએ.
ગાઢ ધુમ્મસમાં ફ્લાઈટને લેન્ડ કરાવવા માટે CAT III B નેવિગેશન સિસ્ટમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.
પરંતુ જો આ સિસ્ટમમાં કોઈ પ્રોબ્લેમ થાય તો પછી પાયલટ ફ્લાઈટને લેન્ડ કરી શકતો નથી.
વિમાનમાં ઓટો પાયલટ અને ઓટો લેન્ડિંગ મોડ આપવામાં આવેલો હોય છે
વિમાનમાં ઓટો પાયલટ અને ઓટો લેન્ડિંગ મોડ આપવામાં આવેલો હોય છે અને આ સિસ્ટમ સેટેલાઈટથી કનેક્ટ હોય છે.
એટલે પાયલટને રનવે પર લાઈટનો પ્રકાશ જોઈ લેન્ડ કરવાની નોબત નથી આવતી. તે આ સિસ્ટમની મદદથી સરળતાથી લેન્ડ કરી શકે છે.
આ સિસ્ટમ સમયાંતરે પાયલટને જમીનથી ફ્લાઈટ વચ્ચેનું અંતર તેમજ અન્ય વસ્તુઓ વિશે માહિતી આપે છે.
પરંતુ જો રનવે પર 50 મીટર સુધી જ વિઝિબિલિટી ન હોય તો પાયલટ ફ્લાઈટને આકાશમાં હોલ્ડ કરીને રાખવામાં આવે છે.
ત્યાર બાદ સિગ્નલ મળ્યા પછી જ ફ્લાઈટ લેન્ડ કરવામાં આવે છે.