કેન્દ્ર સરકારે આપેલી જાણકારી મુજબ મહિલા સરકારી કર્મચારીઓ હવે ફેમિલી પેન્શન માટે તેમના બાળક કે બાળકોમાંથી કોઈ એકને વારસદાર બનાવી શકે છે.
સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે વૈવાહિક વિવાદના મામલામાં હવે મહિલા કર્મચારીઓને ફેમિલી પેન્શન માટે તેમના બાળકો અથવા બાળકોમાંથી કોઈ એકનેવારસદાર બનાવવાની સુવિધા આપવામાં આવી છે.
સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, 2021 નો નિયમ 50 સરકારી કર્મચારી અથવા નિવૃત્ત સરકારી કર્મચારીના મૃત્યુ પછી કુટુંબ પેન્શનની મંજૂરી આપે છે.
જુનો નિયમ આવો હતો
જો કોઈ મૃત સરકારી કર્મચારી કે પેન્શનરના પરિવારમાં તેમન પતિ કે પત્ની હયાત છે, તો પેન્શન પહેલા તેમના હયાત જીવનસાથીને આપવામાં આવતું.
નિયમ મુજબ પરિવારના અન્ય સભ્યોને ત્યારે જ પેન્શન મળે કે જયારે મૃતક સરકારી કર્મચારીના હયાત જીવનસાથી પેન્શન માટે અયોગ્ય બને અથવા મૃત્યુ પામે.