સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં પ્રથમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કિડની ટ્રાન્સપ્લાન્ટ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં 19મું સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટ કૃષ્ણકુમાર સિંગલા નામના દર્દીને કિડની ટ્રાન્સપ્લાન્ટથી નવજીવન મળ્યુ છે.
રાજકોટ રણછોડનગરમાં રહેતા ચાંદીનો વ્યવસાય કરતા કૃષ્ણકુમાર સિંગલાને આજથી 7 વર્ષ પહેલા ચાલતા શ્ર્વાસ ચડી જતો હોય નિદાન કરાવતા કિડની ડેમેજ હોવાનું જણાતા બી.ડી.સવાણી હોસ્પિટલના ડો.પ્રફુલ ગજ્જરની સારવાર શરૂ કરેલ તે સમયે જ તબીબનાં અભિપ્રાય મુજબ કિડની ફેઈલ થવાની શકયતા જણાવતા અમદાવાદ હોસ્પિટલમાં કિડની મેળવવા નોંધ કરાવી હતી
છેલ્લા પાંચ દવાથી આરામ મેળવ્યા બાદ આખરે કિડની ડેમેજ થતા બે વર્ષથી ડાયાબિટીસસ શરૂ કર્યુ હતું
અમદાવાદ હોસ્પિટલમાં કિડની નહી મળતા આખરે તેમના પત્ની શાલીનીબેને તેમના પતિનાં સ્વાસ્થ્ય માટે કિડની આપવાનો નિર્ણય લીધો હતો.
49 વર્ષીય દર્દી કૃષ્ણકુમાર સિંગલાનેઓ પોઝિટીવ અને તેમના પત્ની શાલીનીબેનનું એ પોઝિટીવ બ્લડ ગ્રુપ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ખેચ થતા શાલીનીબેને તબીબોને જણાવ્યું હતું કે અંગદાન દ્વારા મારા પતિના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જો હું કિડનીના આપુ તો કોણ આપે ? તેમ જણાવી અંગદાન માટે સહમતી આપી હતી.
ગત તા.8મી ડિસેમ્બરે દર્દી કુષ્ણકુમાર સિંગાલાની બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, યુરોલોજી ટીમના નેતૃત્વમાં - ડો. વિવેક જોષી, ડો. પંકજ ઢોલરિયા, ડો. અમીષ મહેતા, ડો. જીતેન્દ્ર અમલાણી, ડો. સુનિલ મોટેરિયા, અને ટ્રાન્સપ્લાન્ટ નેફ્રોલોજીસ્ટ ડો. દિવ્યેશ વિરોજા, ડો. પ્રફુલ ગજ્જરે દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી સફળતા પૂર્વક પાર પાડી કિડની દેનાર અને કિડની પ્રાપ્ત કરનાર બંનેને રાજા આપવામાં આવેલ છે.
શ્રી કૃષ્ણકુમાર સિંગલાને તેમના ધરમ-પત્ની શ્રીમતી શાલીનીબેનને તેમની કિડની આપને નિસ્વાર્થ પ્રેમ નું ઉધારણ પૂરુ પડેલ છે.
તેના વિષે જણાવતા શ્રીમાતી શાલીનીબેન કહે છે કે, અંગદાન દ્વારા મારા પતિના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જો હું કિડની ના આપું તો કોણ આપે? ઓપરેશ પછીની સારી સારસંભાળથી પાંચમાં દિવસે મને રાજા આપેલ હતી.
હું અન્ય લોકોને પણ અંગદાન વિષે ગેરમાંન્યતા દુર કરવા અને અંગદાન કરવા પ્રોત્સાહિત કરું છુ વધુમાં શ્રી કૃષ્ણકુમાર સિંગાલએ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના તબીબો અને સ્ટાફનો આભાર વ્યક્ત કરતા જણાવેલ છે કે, હું બી.ટી. સવાણી કિડની હોસ્પિટલની સંગ્રહ ટીમના આત્મીયતા પૂર્વકની સારવાર અને સેવા માટે હૃદયપૂર્વક આભાર માનું છુ.
ઓપરેશ પછીના સમયમાં મારી તથા મારી પત્નીની હોસ્પિટલ સ્ટાફ દ્વારા ખુબજ સારી સારવાર કરવામાં આવી જેથી અમારી રીકવરી ખુબજ સરસ અને તીવ્રતાથી થયેલ છે.
બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કિડનીને લગતા રોગોની સારવાર માટે હંમેશા મોખરે રહે છે.
ત્યારે સૌરષ્ટ્ર અને કચ્છ વિસ્તારના લોકો ને કિડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ખુબજ રાહત દરે પૂરી પાડવા માટે પ્રતિબંધિત છે, તે ડો. વિશાલ ભટ્ટ (સી.ઓ.ઓ.) એ જણાવ્યું હતું.