યૂએઈમાં રહેતા એક ભારતીય મૂળના વ્યક્તિની શુક્રવારે અચાનક જિંદગી બદલાઈ ગઈ.
હવે તેને દર મહિને કંઈ પણ કર્યા વિના 5.6 લાખ રૂપિયા મળશે.
આ રૂપિયાનો વરસાદ એક બે મહિના નહીં પણ પુરા 25 વર્ષ સુધી મળશે.
તો હવે એ કહેવું ખોટું નહીં હોય કે તેને આખી જિંદગી કંઈ કરવાની જરુર નથી. તમિલનાડૂના મગેશ કુમાર નટરાજને આટલી મોટી રકમથી આરામથી પોતાનું જીવન વ્યતિત કરી શકશે.
ત્યારે હવે મનમાં એક સવાલ થાય છે કે, આખરે નટરાજને એવું શું કર્યું કે, તેને દર મહિને આટલી મોટી રકમ મળશે.
તો આવો અમે તેની પાછળની આખી કહાણી બતાવીએ.
હકીકતમાં જોઈએ તો, કોઈ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરનારા મગેશ કુમાર નટરાજને શુક્રવારે એક જૈકપોટ જીતી લીધો.
જેનાથી તેને આગામી 25 વર્ષ સુધી દર મહિને 25 હજાર દિરહમ મળશે. ભારતીય કરન્સીમાં તે 56 લાખ રૂપિયાથી વધારે થાય છે.
ભારતીય નાગરિક નટરાજને આ જેકપોટ જીતનારો પ્રથમ એવો વ્યક્તિ છે.જે યૂએઈની બહાર છે.
આ રકમનું શું કરશે
49 વર્ષના નટરાજને અમીરાત ડ્રોનું એફએએસટી5 ગ્રાંડ પુરસ્કાર જીત્યો છે.
આ જીતમાંથી તેને આગામી 25 વર્ષ સુધી દર મહિને 25 હજાર દિરહમ (5.6 લાખ રૂપિયા મળશે).
નટરાજને પીટીઆઈ ભાષાને કહ્યું કે, મેં મારા જીવનમાં અને અભ્યાસ દરમ્યાન ઘણો સંઘર્ષ કર્યો.
સમાજના ઘણા લોકોએ મારો અભ્યાસ પુરો કરવામાં મદદ કરી. તેથી હવે સમાજને પાછું આપવાનો આ સમય છે.
તેથી હું સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદ કરીશ.
નટરાજને પોતાનો મોટા ભાગનો સમય તમિલનાડૂના અંબૂરમાં વિતાવ્યો છે.
2019માં આ વર્ષની શરુઆત સુધી સઉદી અરબમાં તેના ચાર વર્ષનો કોન્ટ્રાક્ટ હતો.
જે દરમ્યાન તેની જિંદગીમાં આવી ક્ષણ આવી.