ઝાયડેક્સ ગ્રૂપની સહભાગીદારીથી ભારતમાં પર્યાવરણને અનુકૂળ ઓર્ગેનિક ખેતીના ભવિષ્યને દિશા આપવા આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.
શહેરની પારુલ યુનિવર્સિટી, એફ.જી.આય. અને ઝાયડેક્સ ગ્રૂપની સહભાગીદારીથી ભારતમાં પર્યાવરણને અનુકૂળ ઓર્ગેનિક ખેતીના ભવિષ્યને દિશા આપવા બાયો ફાર્મિંગ ક્ષેત્ર માટે ડિઝાઇન કરેલા બેચલર્સ અને માસ્ટર્સ પ્રોગ્રામ્સ (અભ્યાસક્રમ) શરૂ કરવામાં આવ્યા છે. આ કોર્સ શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઓર્ગેનિક ભવિષ્યમાં ભારતને મોખરાનું સ્થાન અપાવવા કટિબદ્ધ ખંતીલા અને પ્રતિભાશાળી કૃષિ વૈજ્ઞાનિકોની નવી પેઢીને તમામ પ્રકારનું પ્રોત્સાહન આપવાનો છે. પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડો. પારુલ પટેલે કહ્યું કે, બાયો ફાર્મિંગ અને અમારા વિદ્યાર્થીઓને પર્યાવરણને અનુકૂળ કૃષિના સતત વધી રહેલી ક્ષેત્રમાં જરૂરી કુશળતાઓ અને કૌશલ્ય પ્રદાન કરવાના અમારા પ્રયાસોને વધુ મજબૂત કરવાની દિશામાં એક સંપૂર્ણપણે નવું પગલું છે.પ્રથમ વખત આ પ્રકારનો કોષ શરૂ કરવામાં આવી રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓ એકેડેમિક અભ્યાસની સાથે ફિલ્ડ વર્ક દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે.
4 વર્ષનો ગાળો ધરાવતા બેચલર્સ અને 2- વર્ષનો ગાળો ધરાવતો માસ્ટર્સ અભ્યાસક્રમો લઘુતમ 10 બેચ માટે ચાલુ કરવાની યોજના છે.
આ અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા કડક રાખવામાં આવી છે.
બાયોટેકનોલોજી ( જૈવ ટેકનોલોજી ),બાયોકેમિસ્ટ્રી ( જૈવ રસાયણ ),બોટની ( વનસ્પતિશાસ્ત્ર ), ઝૂલોજી ( પ્રાણીશાસ્ત્ર ), માઇક્રોબાયોલોજી ( સૂક્ષ્મ જીવવિજ્ઞાન ), મોલિક્યુલર બાયોલોજી ( પરમાણુ જીવવિજ્ઞાન ), જેનેટિક્સ ( આનુવંશિક શાસ્ત્ર ) અથવા સંબંધિત ક્ષેત્રોમાં BSc ( વિજ્ઞાનમાં સ્નાતક ) ઉમેદવારો આ કોર્ષ માટે યોગ્યતા ધરાવે છે. જેમને કડક ચકાસણી , પ્રવેશ પરીક્ષાઓ અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
આ અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ગામડાઓમાં રહીને વિદ્યાર્થીઓ ખેડૂતોની વાસ્તવિકતા સમજશે અને કેવી રીતે જૈવિક ખેતી કરવી અને ખેડૂતોને પણ જૈવિક ખેતી કરવા તરફ પ્રોત્સાહીત કરશે.
આ અભ્યાસક્રમમાં 80% ફિલ્ડ વર્ક વિદ્યાર્થીઓએ કરવુ પડશે.
આ અભ્યાસક્રમમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પ્રોત્સાહન સ્વરૂપે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના સંપૂર્ણ સમયગાળામાં ઉદાર માસિક શિષ્યવૃત્તિઓ ( બેચલર્સ માટે રૂ. 10,000 અને માસ્ટર્સ માટે રૂ. 12,500 ) આપવામાં આવશે.
જેની સાથે અભ્યાસક્રમ પૂર્ણ થતાં 11 મહિના માટે ઝાયડેક્સ સાથે કામ કરવાની શરત જોડાયેલી છે.
પરીક્ષાઓ પારુલ યુનિવર્સિટીના નીતિનિયમોને અનુસરીને લેવામાં આવશે.
જેમાં ફિલ્ડ વર્કનું મૂલ્યાંકન ઝાયડેક્સ ગ્રૂપ અને પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યોમાંથી માર્ગદર્શકની બનેલી પેનલ કરશે.
આ સંપૂર્ણપણે નવું કે પથ પ્રદર્શક જોડાણ પર્યાવરણને અનુકૂળ કૃષિ રીતો અને ભારતમાં બાયો ફાર્મિંગમાં કુશળતાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.