પરંતુ લાચાર ન બનતા પોતાના શોખને આગળ ધપાવ્યો. છેલ્લા છ વર્ષથી આ યુવાન અદભૂત મૂર્તિકામ કરીને યુવા વર્ગમાં એક ઉત્તમ ઉદાહરણ બન્યો છે.
ઉપરવાળો જ્યારે કોઈ એક વસ્તુ છીનવી લે છે, ત્યારે સામે બીજી વસ્તુ આપી પણ દેતો હોય છે.
વડોદરાના તુષાર વિનાયક સાવંત પર આ ઉક્તિ બંધબેસે છે. આ 32 વર્ષીય યુવાને વર્ષ 2012માં થયેલા અકસ્માતમાં પોતાનો એક હાથ ગુમાવ્યો હતો.
પરંતુ લાચાર ન બનતા પોતાના શોખને આગળ ધપાવવાનું નક્કી કર્યું હતું.
છેલ્લા છ વર્ષથી તે અદભૂત મૂર્તિ બનાવી રહ્યો છે. આમ પોતાની આવી અભૂતપુર્વ કામગીરીથી તે યુવા વર્ગમાં એક ઉત્તમ ઉદાહરણ બન્યા છે.
એક હાથે પણ ગણપતિની મૂર્તિ બનાવવામાં મ્હારત
ડોદરા શહેરના માંજલપુર ગામમાં ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર પાસે ખ્વાહિશ આર્ટ સ્ટુડિયો ચલાવી રહેલા તુષારભાઈ છેલ્લા છ વર્ષથી મૂર્તિ, કલ્ચર, પેઇન્ટિંગ જેવા બધા જ કામો કરી રહ્યા છે.
મૂર્તિકાર તુષારભાઈએ જણાવ્યું હતું કે, અકસ્માતના સમયે લોકો લાચાર થઈને બેસી રહેતા હોય છે પરંતુ એવું ન કરતા પોતાનામાંથી સારા સારા ગુણો બહાર કાઢીને એમાં જ આગળ વધી રહ્યો છું.
મને પેઇન્ટિંગનો શોખ હતો. પેઇન્ટિંગમાં સારો હાથ બેસેલો છે. પરંતુ સાથે સાથે ઘર પણ ચાલવાનું હોવાને કારણે મેં કલ્પસર આર્ટ શરૂ કર્યુ. સાથોસાથ પોતાનું નામ પણ બનાવવું હતું.
તેથી મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી. એમાં પણ તેઓ ખાસ કરીને તેમણે ગણપતિજીની મૂર્તિ બનાવવામાં ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
એક વર્ષમાં 200-250 જેટલી મૂર્તિ કરે છે તૈયાર જે વસ્તુ બે હાથે કરવાની હોય છે તે આ યુવક એક હાથે કરી રહ્યો છે તથા એકલા હાથે કરવાનું હોવાને કારણે તે દરેક વસ્તુ અલગ અલગ ભાગમાં વહેંચી દે છે.
જેમ કે પ્રથમ પેઇન્ટિંગ તૈયાર કરે, ત્યારબાદ મૂર્તિઓના અલગ અલગ ભાગ તૈયાર કરે અને પછી એને એક આખું સ્વરૂપ આપવામાં આવતું હોય છે.
બે વર્ષ સુધી ડિપ્રેશનમાં રહ્યા, પરિવારનો મળ્યો સહકાર તુષારભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે વર્ષ 2012માં અકસ્માત થયો. ત્યારે બે વર્ષ સુધી તો ડિપ્રેશનમાં જ હતો.
ત્યારે ઘરે બેઠા બેઠા બે વર્ષ પોતે ક્યાં અટકી રહ્યો છું અને હવે આગળ કેવી રીતે વધી શકું? તેના વિચારો મને સતત સતાવતા હતા.
પરંતુ અકસ્માતના સમયે પરિવારે મને ખૂબ સાથ સહકાર આપ્યો હતો.
મારી માતા હંમેશા મને આગળ વધવા માટે પ્રેરણા આપતી રહે છે.
જેના પ્રતાપે છેલ્લા છ વર્ષથી મૂર્તિ કામ કરી રહ્યો છું.