અમદાવાદના ઈસનપુરમાં રહેતો 17 વર્ષીય બાળક ઓમ વ્યાસને સેરેબ્રલ પાલ્સી નામની બીમારી છે. આવી ગંભીર બીમારી હોવા છતાં તેને સંસ્કૃતના શ્લોક, મંત્ર, દેવી-દેવતાઓની આરતી, હનુમાન ચાલીસા કંઠસ્થ છે.
17 વર્ષનો ઓમ વ્યાસ અદભૂત યાદશક્તિ ધરાવે છે
અમદાવાદના ઈસનપુરમાં રહેતા જીગ્નેશભાઈ વ્યાસના 17 વર્ષના દીકરાને જન્મતાની સાથે સેરેબ્રલ પાલ્સી નામની બીમારીનો ભોગ બન્યો હતો.
જેના લીધે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પણ કહેવાય છે ને કે ભગવાનના ઘરમાં દેર છે પણ અંધેર નથી.
જન્મતાની સાથે સેરેબ્રલ પાલ્સી રોગનો ભોગ બનનાર આ બાળક આજે એક વાર સાંભળે એટલે તેને એ વસ્તુ યાદ રહી જાય છે.
મંત્રો એક વાર સાંભળ્યા બાદ યાદ રહી જાય 17 વર્ષના ઓમને વિવિધ શ્લોક, મંત્ર જેવા કે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, ગાયત્રી ચાલીસા, દત્તબાવની, સાંઈ બાવની, શિવ તાંડવ, શિવ મહિમા, વિવિધ દેવી-દેવતાઓની આરતી, કબીરવાણી જેવી અઘરી ગણાતી વસ્તુઓ એક વાર સાંભળ્યા બાદ યાદ રહી જાય છે.યાદ કર્યા બાદ તે તેની ભાષામાં બોલી પણ શકે છે.