સિવિલ હોસ્પિટલમાં ઉષાબેન જશુભાઈ પંચાલ તરફથી અંદાજિત 40 લાખની કિંમતનું એક આઈસીયુ ઓન વ્હીલનું દાન કરવામાં આવ્યુ છે.
દર્દીઓની સારવાર માટે આટલું મોટું દાન કરી આ પરિવારે સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ એમ્બ્યુલન્સ એ વેન્ટિલેટરની સાથે બીજા બધા જ આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટથી સજજ છે
દાતા ઉષાબેન જશુભાઈ પંચાલ તરફથી સિવિલ હોસ્પિટલને જે આઈસીયુ ઓન વ્હીલનું દાન આપવામાં આવ્યું છે.
તેની અંદાજિત કિંમત 40 લાખ રૂપિયા જેટલી છે. સાથે એમ પણ કહી શકાય કે આ એમ્બ્યુલન્સ એ વેન્ટિલેટરની સાથે બીજા બધા જ આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટથી સજજ છે.
આ એમ્બ્યુલન્સ થકી ઘણા બધા દર્દીઓ કે જેને વેન્ટિલેટર સાથે શિફ્ટ કરવા પડે છે એમાં ખૂબ મદદગાર થશે
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જે.એમ. ફાઇનાન્સિયલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંદાજીત રૂ. 1.28 કરોડની રકમના વિવિધ ઉપકરણોનું દાન કરવામાં આવ્યું હતુ.
આમ આનાથી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સુખાકારીમાં વધારો થશે અને સારવાર પણ ઝડપી મળી રહેશે
શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ અમારો connect.gatagam@gmail.com પર સંપર્ક કરો