સુરત : રક્તદાન દ્વારા આપણે કોઈક વ્યક્તિને નવું જીવન આપી શકીએ છીએ.આ દાનએ સૌથી મોટું અને વિશેષ દાન કહેવામાં આવે છે. એ તો દરેક લોકોને ખબર જ છે. પરંતુ આ રક્તદાન દ્વારા વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને પણ એક નવું દાન આપી શકે છે.
ઘણા લોકો બીજાના દુઃખમાં સહભાગી થતા હોય તે ભાવનાથી રક્તદાન તો કરે જ છે.
પરંતુ ઘણા લોકો રક્તદાનથી શરીરને થતા અનેક ફાયદાથી અજાણ હોય છે. જેથી તેઓ રક્તદાન કરવામાં પાછી પાની કરતા હોય છે.
પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે પણ લોકોએ રક્તદાન કરવું જોઈએ.
પોતાના સ્વાસ્થ્ય માટે રક્તદાન કેટલું મહત્વનું છે.
આ બાબતે લોકોને જાગૃત કરવા અને જરૂરિયાતમંદલોકો સુધી રક્તપહોચાડવામાટે શ્રી રાધે ડેરી ફાર્મ એન્ડ લિમિટેડ અને વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ ખર્ચો ઊઠાવીનેરક્તદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ રક્તદાનના કાર્યક્રમમાં 80થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. જેમાં 30 ટકા સ્ત્રીઓનું પ્રમાણ પણ હતું.
વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભૌતિક વિરાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકોના મગજમાં એવી ગ્રંથિ બંધાયેલી હોય છે કે એક વાર રક્તદાન કરવાથી શરીર જાડું થઈ જાય છે.
જેને લઈને કેટલાક લોકો રક્તદાન કરતા નથી. પરંતુ એવું હોતું નથી.
રક્તદાન કરવાથી શરીરમાં નવું રક્ત બનવાનું શરૂ થાય છે.
જેને લઈને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
આ સિવાય રક્તદાન કરવાથી હૃદયને પણ ફાયદો થાય છે.
જેથી લોકો જો નિયત સમયે રક્તદાન કરે તો તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નિવડે છે.