શું છે આ નવી યોજના
આ યોજના મધ્ય પ્રદેશની સરકારે શરુ કરી છે અને તેનું નામ કિસાન કલ્યાણ યોજના.
આ યોજના હેઠળ રાજ્ય સરકાર દર વર્ષે ખેડુતોને તેમના કલ્યાણ માટે 10 હજાર રુપિયા આપી રહી છે.
એટલે કે 6 હજાર રુપિયા કેન્દ્ર સરકાર તરફથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવે છે.
પરંતુ તેની સાથે સાથે મધ્ય પ્રદેશ સરકાર તરફથી 4 હજાર આપવામાં આવશે.
મધ્ય પ્રદેશ સરકારે આ યોજનાની શરુઆત 2020 થી જ કરી દીધી છે.
તે સમયે ખેડુતોને બે-બે હજાર આપવામાં આવતા હતા
કેવા ખેડુતોને મળશે આ લાભ
આ યોજના હેઠળ માત્ર મધ્ય પ્રદેશના ખેડુતોને ફાયદો મળશે.
અને મહત્વની વાત તો એ છે કે મધ્ય પ્રદેશના દરેક ખેડુતોને આ યોજના હેઠળ લાભ નહી મળે.
પરંતુ માત્ર એવા જ ખેડુતોને લાભ મળશે કે જે ખેડુતોએ પીએમ કિસાન સમ્માન નિધિમાં રજીસ્ટ્રેશન કરાવેલ હશે.