વડોદરા શહેરમાં અસહ્ય ગરમીનો અહેસાસ નગરજનોને થઇ રહ્યો છે. ત્યારે મૂંગા અબોલ પક્ષીઓને ગરમીના માહોલ વચ્ચે પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા નિશુલ્ક પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું છે
બાઉલના વિતરણ કાર્યક્રમાં મોટી સંખ્યામાં લોકોએ સેવાકીય હેતુસર પાણીના બાઉલ લીધા હતા.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં માટીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવાના મહાઅભિયાન ચાલી રહ્યા છે
શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આયોજન
વડોદરા શહેરના કુંભાર પાસેથી જાણવા મળ્યું કે, જ્યારથી ગરમીનું પ્રમાણ વધ્યું છે ત્યારથી માટીના માટલા સહિત પશુ પક્ષી માટે માટીના બાઉલનું વેચાણ પણ વધ્યું છે
દિવસના એક કુંભારવાળા પાસેથી 15 થી 20 જેટલા માટીના બાઉલ વેચાતા હોય છે