"જ્યાં ચાહ હોય છે ત્યાં રાહ મળી જ જાઈ છે " આ કહેવત આપણે સાંભળી તો છે જ, પરંતુ આવું જ મોરાભાગળ વિસ્તારમાં રહેતા દંપતી સાથે થયું છે. કોલેજની વર્ધી કરતા નીતિનભાઈની નોકરી કોરોનાકાળમાં જતી રહેતા તેમણે ઘરે રહેવાનો વારો આવ્યો હતો. ત્યાર બાદ ફૂડ સ્ટોલમાં શરૂ કર્યો હતો, જોકે તેમાં પણ નિષ્ફળતા મેળવ્યા બાદ પણ શરૂ રાખેલા પ્રયાસને કારણે આજે તેઓ તેમની પત્ની હેતલબેન સાથે ઇકો કારમાં પનીર બિરયાની અને શાક-રોટલી વેચીને સારી એવી કમાણી કરી રહ્યા છે. પતિ કોલેજની વર્ધી કરતા હતા મોરાભાગળ વિસ્તારમાં રેવાનાગરમાં રહેતા 28 વર્ષીય હેતલબેન અને 31 વર્ષીય નીતિનભાઈ પટેલ મિડલ ક્લાસ પરિવારથી છે. નીતિનભાઈ ત્રણ વર્ષ પહેલાં કોલેજની વર્ધી કરતા હતા. તેઓ કોલેજના પ્રોફેસરોને કીમની કોલેજમાં લેવા લઈ જવાનું કામ કરતા હતા. પરંતુ કોરોનાકાળમાં તેમની નોકરી છૂટી જતા તેમણે ઘરે બેસવું પડ્યું હતું. બર્ગરનો સ્ટોલ લગાવ્યો હતો સંતાનમાં પુત્ર થયા બાદ જવાબદારી વધતી જઈ રહી હતી અને તેની સામે આવકનો સ્ત્રોત નીતિનભાઈના રિટાયર્ડ પિતાનું માત્ર રૂપિયા 3000 નું પેન્શન જ હતું. જેમ તેમ તે પરિસ્થિતિમાંથી નીકળ્યા બાદ નીતિનભાઈએ મોરાભાગળ વિસ્તારમાં બર્ગરનો સ્ટોલ લગાવ્યો હતો. પરંતુ તે સરખો ન ચાલતા માત્ર 6 મહિનાના સમયગાળામાં તેને બંધ કરી દેવો પડ્યો હતો.
4 થી 5 કલાક સુધીમાં વેચાણ કરે છે કોરોનાકાળમાં યુટ્યુબ પર હેતલબેન અવનવી રેસીપી જોવાની શરૂઆત કરી હતી અને તેમાંથી કઈ વાનગી સામાન્ય રીતે બજારમાં વેચાતી જોવા મળતી નથી, તેના ઉપર સર્વે કર્યા બાદ પનીર બિરયાની બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું. ઉધના દરવાજા વિસ્તારમાં તેઓ 4 થી 5 કલાક તેઓ પોતાની ઈકો કારમાં આ બિરયાનીનું વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. દંપતી 5 થી 9 વાગ્યા સુધી તૈયારી કરે છે હેતલભાઇ અને નીતિનભાઈ સવારે 5 વાગ્યે ઊઠીને 9 વાગ્યા સુધી પનીર બિરયાની, શાક, રોટલી, સલાડ અને છાસ બનાવે છે. ત્યારબાદ 10:30 થી 2:00 વાગ્યા સુધીનું વેચાણ કરે છે. જેનાથી તેમને પ્રતિદિવસ ઓછામાં ઓછા રૂપિયા 2000ની આવક થાય છે. દર મહિને 40 હજારની આવક થાય છે આ અંગે હેતલબેન પટેલે જણાવ્યું હતું કે, વિચાર મારા પતિ નીતિનભાઈને આવ્યો હતો, કારણ કે જ્યારે તેઓ વર્ધી કરતા હતા ત્યારે ગેસનો ખર્ચ બાદ કરતા રૂપિયા 15000 મળતા હતા. આ બાદ કોરોના કાળમાં નોકરી જતી રહેતા આવક શૂન્ય થઈ ગઈ હતી. તેથી એક વર્ષ પહેલા દિલ્હીમાં કાર ફૂડનો જે રીતે ચલણ બની રહ્યું છે, તેવો વિચાર કરી અમે માર્કેટ લાઈન અને ઓફિસ લાઈન વિસ્તારમાં વેચાણ કરવાની શરૂ કર્યું હતું. બિરયાનીની એક પ્લેટની કિંમત રૂપિયા 60 છે. જ્યારે શાક, 6 રોટલી, સલાડની એક પ્લેટની કિંમત પણ રૂપિયા 60 જ છે. આ અગાઉની આવક કરતા હાલ 40 ટકા આવક વધી છે. દર મહિને 30-40 હજારની આવક થાય છે.