આણંદ કૃષિ યુનિવર્સિટીના ફૂડ એન્જિનિયરિંગ વિભાગમાં રાજ્ય સરકારના સંશોધન પ્રોજેક્ટ હેઠળ સમયાંતરે અનેક સંશોધનો હાથ ધરવામાં આવે છે. 2019 માં, શાકભાજીનો બગાડ અટકાવવા માટે વિશેષ સંશોધન હાથ ધર્યા પછી સોલાર પેનલવાળી લારી બનાવવામાં આવી હતી. શાકભાજીને લાંબા સમય સુધી સાચવવામાં મદદ કરવા માટે આ એકકો-ફ્રેન્ડલી લારીમાં બે તબક્કાની બાષ્પીભવન કૂલિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.
ઈકો ફ્રેન્ડલી લારીનાં શું ફાયદા? શાકભાજી ખુલ્લામાં રાખવાથી અને ગરમી વધુ પડવાથી શાકભાજીનો બગાડ થાય છે, જેને અટકાવવા માટે ઓછા ખર્ચે આ રીતે સોલાર પેનલથી ચાલતી લારી બનાવવવામાં આવી હતી. જેનાથી શાકભાજીનો સંગ્રહ કરી આ લારીમાં સ્ટોરેજ બોક્ષનાં ભાગમાં શાકભાજી રાખવામાં આવે છે. જેના કારણે ધૂળ કચરો પડતો નથી. આ ઉપરાંત, સ્ટોરેજ કરવાથી વધેલું શાકભાજી બીજા દિવસે પણ વેચી શકાય છે એટલે નુકશાન થતાં પણ અટકે છે.
આ લારીમાં શાકભાજી મૂકવા માટે કૂલિંગ ચેમ્બર બનાવમાં આવી છે, જેમાં કૂલિંગ ચેમ્બરની અંદરનું તાપમાન ઘટાડવા તેમજ ભેજનું પ્રમાણ જાળવી રાખવા ઇવેપોરેટીવ કૂલિંગ સિસ્ટમ બેસાડવામાં આવી છે. જે કુદરતી હવાની મદદથી કૂલિંગ ચેમ્બરને ઠંડુ કરે છે, જેનાથી શાકભાજી પણ ઠંડુ થાય છે. આ કૂલિંગ ચેમ્બરમાં 100થી150 કિલો શાકભાજીનો સંગ્રહ કરી શકાય છે.
આ ઇક્કો ફ્રેન્ડલી લારીમાં બે સ્ટેજ ધરાવતી કૂલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને ટુ સ્ટેજ ઇવેપોરેટીવ કૂલિંગ સિસ્ટમ કેહવાય છે, જેમાં પ્રથમ સ્ટેજમાં પ્રાથમિક કૂલિંગ સિસ્ટમ જેને ઈન ડાયરેક્ટ કૂલિંગ સિસ્ટમ કહેવાય છે અને બીજા સ્ટેજમા છે તેને ઇવેપોરેટીવ કૂલિંગ સિસ્ટમ કેહવાય છે. વધારે ઠંડી હોય ત્યારે ડાયરેક્ટ કૂલિંગ સીસ્ટમમાં હવા અને પાણી એકબીજાના સંપર્કમાં આવે છે એટલે ડાયરેક્ટ કૂલિંગ સીસ્ટમ કહે છે.
ઈક્કો ફ્રેન્ડલી લારીમાં ખાસ સોલાર સીસ્ટમ આ લારીમાં લગાવેલ સોલાર પેનલ ની કેપેસેટી 15wp ની છે. જેની સાથે ચાર્જ કંટ્રોલ અને 12 વોલ્ટની બેટરી પણ જોડેલ છે, જેમાં સોલાર પેનલ સૂર્ય પ્રકાશની મદદથી સીધું ઈલેક્ટ્રીસીટીમાં રૂપાંતર કરે છે અને ચાર્જ કન્ટ્રોલર મારફતે બેટરીમાં સંગ્રહ થાય છે. જણાવી દઈએ કે, વોટર પંપ અને પંખો લાઈટ ચાલે છે, આમ વધારાનો પાવર બેટરીમાં સંગ્રહ થવાથી રાત્રિના સમયે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.