જસદણ ના મણીબેન ભગવાનજીભાઈ નારિયા (મણીમાં કોલસવાળા ) ,ખુબજ શૂરવીર અને દયાળુ સ્વભાવ ના હતા.
પોતાના ૩ નાના દીકરા અને ૨ દીકરીઓ ને સાચવાના ની સાથે કોલસા નો ડિપૉ ચલાવતા હતા.
જે સમયગાળા માં સ્ત્રીઓ ઘરની બહાર નીકળવામાં સંકોચ અનુભવતા , એ સમયગાળા માં મણીબેન એકલા હાથે કોલસા વેચવાનો ધંધો કરતા હતા.
એકલા મધરાત્રે રેલવે સ્ટેશને નાના બાળકો ને લઈને કોલસા ના વેગન ની રાહ જોતા હતા.
મણીબેન કોલસા નો વ્યાપાર દિલ થી કરતા હતા.
ગરીબ લોકો ને મફત માં કોલસા આપતા. માં ના ગરબા નું આયોજન કરતા હતા અને કોઈ પણ લુખ્ખા તત્વો દીકરીઓ ને હેરાન કરતા તો તેમની સામે નીડરતાથી લડતા હતા તેથી જ બધા પ્રેમ થી તેમને મણિમાં કોલસવાળા કહેતા હતા.
બે ચોપડી ભણેલા પણ પોતાની કોઠા સુજ થી અને ધંધાની સાહસિકતા થી શુન્ય માંથી સર્જન કરીને ખુબજ વિકાસ કરેલ અને પોતાના દીકરાઓ ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ , વકીલાત જેવો ઉચ્ચ અભ્યાસ કરાવેલ.
આજે પણ તેમની કર્મ નિષ્ટા નો સાક્ષી રૂપ કોલસાનો ડેલો જસદણ ના શાકમાર્કેટ માં ઉભો છે.